આજરોજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભાનાની સેન્સ પ્રક્રિયા પુર્ણ
![]() |
ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર સેન્સ લેવા ભાજપના નિરીક્ષકો એ કવાયત હાથ ધરી છે ,તા 27 ,28 અને તા 29 સુધી ત્રણ દિવસ 5 વિધાન સભા ની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ,આજરોજ ભરૂચ અને અંકલેશ્વર બેઠકના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક ઉપર અંકલેશ્વર અને હાંસોટ તાલુકા, અંકલેશ્વર શહેર, અંકલેશ્વર નોટીફાઇડ ના તમામ ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા નિરીક્ષકો સમક્ષ વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ને ઇચ્છીએ છીએ તેવી ઈચ્છા દર્શાવી હતી
ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર સેન્સ લેવા ભાજપના નિરીક્ષક તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમિષા સુથાર ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા અને ભરૂચ ની રાજપૂત છાત્રાલય ખાતે ત્રણ દિવસ સુધી જિલ્લા ની 5 વિધાનસભા ની બેઠકો ઉપર ઉમેદવારો માટે ની સેન્સ પ્રક્રિયા ની આજ થી શરૂઆત કરવામાં આવી છે પ્રથમ દિવસે ભરૂચ અને અંકલેશ્વર વિધાનસભા બેઠક ના દાવેદારો ને સાંભળવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક ઉપર હાલ માં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ની પસંદગી કરી હતી.
અંકલેશ્વર તાલુકા પંચાયત હાંસોટ તાલુકા પંચાયત,તેમજ વિધાનસભાના જીલ્લા પંચાયત સભ્યો તેમજ અંકલેશ્વર નગરપાલિકાના ભાજપ ના ચૂંટાયેલ તમામ સભ્યો એ નિરીક્ષક શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમીષાબેન સુથાર સમક્ષ એક સાથે પત્ર લઈ પહોંચ્યા હતા. આ પત્રમાં અમે સર્વાનુમતે અમારા ઉમેદવાર તરીકે માજી મંત્રી અને ધારાસભ્ય ઈશ્વર પટેલને ઇચ્છીએ છીએ.તેમજ અંકલેશ્વર ,શહેર ,તાલુકા ,નોટીફાઈડ હાંસોટ તાલુકાના ભાજપના હોદ્દેદારો દ્વારા નિરીક્ષકોને સર્વાનુમતે પાઠવેલ પત્ર માં ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ઉપર પસંદગી ઉતારી હતી.
#bhrigubharatsamachar




