અંકલેશ્વર માં પરિણીત મહિલાઓ ત પતિના લાંબા આયુષ્ય માટે કડવા ચોથ વ્રત ની શ્રધ્ધાભેર ઉજવણી કરી
=પતિના દીર્ઘાયુષ્ય માટે કરાતું વ્રત એટલે કડવા ચોથ.
અંકલેશ્શ્વર માં સૌભાગ્ય વતી મહિલાઓ એ પતિ ના લાંબા આયુષ્ય માટે કડવા ચોથ વ્રત ની શ્રધ્ધાભેર ઉજવણી કરી હતી મહિલાઓ રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી જ કરવા ચોથનું વ્રતના પારણા કર્યા હતા.
હિંદુ તહેવારોમાં કડવા ચોથનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી વ્રત રાખે છે. મહિલાઓ રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી જ કડવા ચોથ ના વ્રતના પારણા કરે છે.. રાત્રે ચંદ્રમાનાં દર્શન બાદ ચંદ્રની પૂજા કરી કંકુ, ચોખા, દીવો કરી જળ અર્પણ કર્યા બાદ વિવાહિત સ્ત્રીઓ પતિના હાથે પાણી ગ્રહણ કરે છે. ત્યાર બાદ આ વ્રત સંપૂર્ણ થાય છે. ત્યાર બાદ ભોજન ગ્રહણ કરે છે.ત્યારે અંકલેશ્વર માં પરણિત મહિલાઓ એ કડવા ચોથ વ્રત ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી પોતાના પતિ ના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રથા કરી હતી