અંકલેશ્વર નગર પાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત 2 કરોડ ના કામો નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ
=શહેર ના વિવિધ વિસ્તારો માં 2.20 કરોડ ના ખર્ચે આરસીસી ,અને પેવર બ્લોક ના કામો નું ખાતમુહૂર્ત કરાયું
=પીએમ સ્વનિધિ યોજના હેઠળ બે લાભાર્થી ને ચેક નું વિતરણ કરાયું
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે શારદા ભવન ટાઉન હોલ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત શહેર ના વિવિધ વિસ્તારો માં આરસીસી અને પેવર બ્લોકના રૂ.2 .20 કરોડ ના કામો નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં તા. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી પહોંચાડવાનો છે.ત્યારે વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બે દિવસીય વિવિધ કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે .પાલિકા દ્વારા આજરોજ વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ ખાતમુહૂર્ત કાર્યક્મ યોજાયો હતો ,જેમાં નગરપાલિકા ના વિવિધ વિસ્તારો માં રૂપિયા 2 કરોડ 20 લાખ ના ખર્ચે આરસીસી અને પેવર બ્લોક ના કામો નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ,આ કાર્ય્રકમ માં પીએમ સ્વનિધિ યોજના હેઠળ બે મહિલાઓ ને ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમ માં નગરપાલિકા ના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત ,ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ ,કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ,ચીફ ઓફિસર કેશવ કોલડિયા ,તેમજ પાલિકા ના સભ્યો અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહીત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા .