અંકલેશ્વર માં માહ્યાવંશી સુરક્ષા મંચ દ્વારા તેજસ્વી તારલાઓ ના સન્માન સમારોહ નું આયોજન કરાયું
=શિક્ષણ માં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળનાર સમાજ ના તારલાઓનું સન્માન કરાયુ
અંકલેશ્વર ના રમણ મુળજી વાડી ખાતે ભરૂચ જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચ દ્વારા સમાજ ના તેજસ્વી તારલાઓ ના સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું .આ સમારોહ માં સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચ દ્વારા અંકલેશ્વર હાંસોટ તાલુકા ના સમાજ ના શિક્ષણ માં વિવિધ ક્ષેત્ર માં સિદ્ધિ મેળનાર તેજસ્વી તારલાઓનું ભરૂચીનાકા પાસે આવેલ રમણ મુળજી વાડી ખાતે સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું ,આ સમારોહ માં જિલ્લા માહ્યાવંશી સુરક્ષા મંચ ના પ્રમુખ ઉપેન્દ્રભાઈ પરમાર ,ડોકટર ભારતીબેન કંથારીયા,,નિવૃત મામલતદાર ભગુભાઈ પરમાર .ફોરેસ્ટર ઓફિસર ,દિપીકાબેન પરમાર ,નાયબ મામલતદાર નરેન્દ્ર પરમાર સહીત ના સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ,અને સમાજ ના તેજસ્વી તારલાઓ ને ટ્રોફી ,સન્માનપત્ર .અને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા .આ પ્રસંગે નિવૃત આચાર્ય પ્રકાશ પરમાર ,શૈલેષ સોદાગર .મંજુલાબેન સુરતી ,પરેશ મહેતા સહીત ના આગેવાનો અને તેજસ્વી તારલાઓ ઉપસ્થિત રહ્યા હતા