હાંસોટ ના પાંજરોલી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ

હાંસોટ ના પાંજરોલી  ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરતા  ધારાસભ્ય  ઈશ્વરસિંહ પટેલ




= નારાયણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ અને પાંજરોલી યુવક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું.

સ્વ. ડાહીબેન ગણપતભાઈ પટેલના સ્મરણાર્થે પાંજરોલી પ્રિમિયર લીગ-3 ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ કરાયો



હાંસોટ તાલુકાના પાંજરોલી ગામ ખાતે નારાયણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ અને પાંજરોલી યુવક મંડળ દ્વારા સ્વ ડાહીબેન ગણપતભાઈ પટેલના સ્મરણાર્થે પાંજરોલી પ્રિમિયર લીગ-3  ક્રિકેટ ટુર્નામેન્ટનું ધારાસભ્ય  ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ઉદઘાટન  કરવામાં આવ્યું.હતું



નારાયણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ  અને પાંજરોલી ગામ ના વતની નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલ દ્વારા ગામના યુવાનો ગામમાં રમે અને પોતાનામાં રહેલી પ્રતિભા બહાર આવે તે હેતુ સાથે ગામના યુવાનો  એકબીજા સાથે રમે  તેવા આશય સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરવામાં આવે છે.હાલ માં પણ પાંજરોલી ગામ ખાતે પાંજરોલી પ્રિમિયર લીગ-3  ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ,આ ટુર્નામેન્ટ નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટ માં  કુલ 20 ટીમેં  ભાગ લીધો છે  અન્ડર ૧૮ ની આઠ ટીમ અને ૧૮  થી વધુ વયની બાર ટીમેં ભાગ લીધો છે 




આ ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય  ઈશ્વરસિંહ પટેલ દ્વારા યુવાઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે ગુજરાતમાં ખેલમહાકુંભ જેવા વિરાટ રમતોત્સવથી વાયબ્રન્ટ સ્પોર્ટસ કલ્ચરનું નિર્માણ થયું છે ત્યારે આ ટુર્નામેન્ટ થી રમતગમતને પ્રોત્સાહન મળશે તેમજ યુવાનોમાં ખેલદિલી અને લીડરશીપની ભાવના વધશે, જેનાથી અંકલેશ્વર-હાંસોટના મહત્તમ ખેલાડીઓ પોતાની પ્રતિભા પ્રકાશિત કરી ગુજરાત ફલક પર ઉભરી ભારતનું નામ રોશન કરે તેમજ નવા આયામ સુધી પહોંચે એવી અભિલાષા વ્યક્ત કરી હતી .

આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિહ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંગીતાબેન સોલંકી,ભરૂચ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ  હર્ષદભાઈ પટેલ, જીલ્લા કોષાધ્યક્ષ  જગદીશભાઈ શાહ,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ,નારાયણ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી  પ્રધ્યુમન પટેલ,મંથન પટેલ,અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિસભ્યો રમણભાઈ પટેલ, નરેશભાઈ મોદી ,પાંજરોલી ગામ સંરપંચ વનિતાબેન વસાવા,ગામ ના આગેવાનો, વડીલો, યુવાનો અને ખેલાડીઓ  હાજર રહ્યા હતા

પાકિસ્‍તાન હાય હાય... ભુટ્ટો હાય હાય... ભાજપનું દેશવ્‍યાપી વિરોધ પ્રદર્શન, ભરૂચમાં પાક વિદેશમંત્રીનું જિલ્લા ભાજપે પૂતળું ફૂંકયુ

પાકિસ્‍તાન હાય હાય... ભુટ્ટો હાય હાય... ભાજપનું દેશવ્‍યાપી વિરોધ પ્રદર્શન, ભરૂચમાં પાક વિદેશમંત્રીનું જિલ્લા ભાજપે પૂતળું ફૂંકય

- પાકિસ્‍તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોના હિન નિવેદન સામે કલેકટરને આવેદન

- પ્રધાનમંત્રી અને હિન્દુસ્તાનની પાકિસ્તાન અને તેના બાલિશ મંત્રી ભુટ્ટો માફી માંગેની ઉગ્ર માંગ

- ભરૂચ જિલ્લા ભાજપની ઉગ્ર નારેબાજી, પાક પ્રધાનના નિવેદનને અપમાનજનક અને કાયરતાભર્યુ ગણાવ્‍યું

પ્રધાનમંત્રી અને સંઘ સામે અસંસદીય ભાષાના પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદનને દેશ વ્યાપી ભાજપના દખાવોમાં ભરૂચ જિલ્લા ભાજપ પણ જોડાયું હતું. ભરૂચ જિલ્લા ભાજપે પાક વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોનું પૂતળું બાળી પાકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા હતા.



પાકિસ્તાનના નાપાક વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી હવે અભદ્રતા પર ઉતરી આવ્‍યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્‍ત રાષ્‍ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદને લઈને પાકિસ્‍તાનને એવો અરીસો બતાવ્‍યો કે બિલાવલ શિયાવિયા થઈ ગયા.

જયશંકરે કહ્યું કે ઓસામા બિન લાદેનને મહેમાન બનાવનારાઓને સંયુક્‍ત રાષ્‍ટ્રની બેઠકમાં પ્રચાર કરવાનો કોઈ અધિકાર નથી. આનાથી નારાજ ભુટ્ટોએ ન્‍યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્‍પણી કરી હતી. હવે બિલાવલની ટિપ્‍પણી પર ભાજપ સહિત હિન્દુસ્તાનનો ગુસ્‍સો ઉકળ્‍યો છે. આજે ભાજપ દેશવ્‍યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યુ છે. પાકિસ્‍તાન અને બિલાવલ ભુટ્ટોના પુતળા બાળવામાં આવી રહ્યા છે.

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આજે બિલાવલ ભુટ્ટોના પૂતળાનું દહન કરી પ્લે કાર્ડ, ભારે સુત્રોચ્ચારો અને નારેબાજી સાથે પાકિસ્તાનની હાય હાય બોલાવી હતી. પાકિસ્તાન અને ભુટ્ટો હિન્દુસ્તાન, પ્રધાનમંત્રીની માફી માંગેની માંગ સાથે પાક નેતાનું પૂતળું ફુક્યા બાદ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટદરિયા, યહવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, દિપક મિસ્ત્રી, મંત્રી નિશાંત મોદી, શહેર પ્રમુખ પ્રકાશભાઈ પટેલએ આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું.

હાંસોટ ના આમોદ ખાતે તાલુકા કક્ષાનો ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મુકતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ

હાંસોટ ના આમોદ ખાતે તાલુકા કક્ષાનો ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મુકતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ 


જી.સી.ઈ. આર.ટી.ગાંધીનગર પ્રેરિત હાંસોટ તાલુકા બી. આર. સી. કક્ષા ની પ્રદર્શની આમોદ ગુરુકુળ શાળા ખાતે યોજવામાં આવી 


હાંસોટ ના આમોદ ખાતે તાલુકા કક્ષાનો ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જી.સી.ઈ. આર.ટી.ગાંધીનગર પ્રેરિત હાંસોટ તાલુકા બી. આર. સી. કક્ષા ની પ્રદર્શની આમોદ ગુરુકુળ શાળા ખાતે યોજવામાં આવી હતી. 


હાંસોટ તાલુકા બી.આર. સી.કક્ષાનો વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન હાંસોટ તાલુકાના આમોદ ખાતે આવેલ ગુરુકુળ આમોદ શાળામાં માનનીય અંકલેશ્વર હાંસોટ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. .આ પ્રસંગે હાંસોટ તાલુકા પ્રમુખ ગેમલસિંહ પટેલ, ઉપપ્રમુખ સંગીતાબેન સોલંકી, સંગઠન ઉપપ્રમુખ ઉર્મિલાબેન પટેલ,હાંસોટ લાઈઝન અધિકારી ડૉ. માર્કડ કુમાર આર. માવાણી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, બી. આર. સી. કો-ઓર્ડિનેટર અશોકભાઈ પટેલ, ગુરુકુળ આમોદ શાળાના ટ્રસ્ટી કીર્તિસિંહ વશી,માધ્યમિક અંગ્રેજી શાળા ગુરુકુળ આમોદના આચાર્ય અર્પણા ગુપ્તા, ગુરુકુળ આમોદ ગુજરાતી શાળા આચાર્ય સુનિલભાઈ રાઠોડ,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. વાલીગણ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક - ગાણિતિક સુષુપ્ત શક્તિઓ અને સર્જનશીલતા ને પ્રોત્સાહિત કરવા તેમજ વૈજ્ઞાનિક અભિગમ, વલણ, આત્મવિશ્વાસ તથા કૌશલ્યોનો વિકાસ કરવા તેમજ બાળકો ની અભિરુચિ વિજ્ઞાન તરફ જાગૃત બને, તેઓ નવા સંશોધન સમજે અને વૈજ્ઞાનિક બનવાની વૃત્તિ બાળવિજ્ઞાનીમા જાગૃત થાય તે હેતુસર વિજ્ઞાન - ગણિતના સથવારે અને ટેકનોલોજીની કેડીએ જગતને નવી રાહ ચિંધવા  બાળ વૈજ્ઞાનિકોએ વિભાગ મુજબ કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું. ગુરુકુળ આમોદ શાળાના ટ્રસ્ટી, આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ ગણ સુંદર આયોજન બદલ હાંસોટ બી. આર. સી. કો-ઓર્ડિનેટર અશોકભાઈ જે. પટેલ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર બાળકોને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.અંતે ગુરુકુળ માધ્યમિક અંગ્રેજી શાળાના આચાર્ય અર્પણા ગુપ્તા આભારવિધિ કરી હતી.





કેબિનેટ મંત્રીશ્રીઓ,રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓની ખાતાની ફાળવણી

 

કેબિનેટ મંત્રીશ્રીઓ,રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓની ખાતાની ફાળવણી




શ્રી ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે અને બીજા ૮ કેબીનેટમંત્રી,૨ સ્વતંત્ર હવાલા અને ૬ રાજ્યકક્ષાના મંત્રીએ શપથ લીધા

શ્રી ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે અને બીજા ૮ કેબીનેટમંત્રી,૨ સ્વતંત્ર હવાલા અને ૬ રાજ્યકક્ષાના મંત્રીએ શપથ લીધા  




મુખ્યમંત્રી 

શ્રી ભુપેન્દ્ર પટેલ 

કેબીનેટ મંત્રી

૧)ઋષિકેશ પટેલ

૨)રાઘવજી પટેલ

૩)કુંવરજી બાવળીયા

૪)કનુભાઈ દેસાઈ  

૫)બળવંતસિંહ રાજપૂત

૬)મુળુભાઇ બેરા

૭)કુબેર ડીંડોર

૮)ભાનુબેન બાબરીયા 


સ્વતંત્રત હવાલો

૧)હર્ષ સંઘવી

૨)જગદીશ વિશ્વકર્મા 


રાજ્યકક્ષાના મંત્રી 

૧)પરસોતમ સોલંકી

૨)બચુભાઈ ખાબડ

૩)મુકેશ પટેલ 

૪)ભીખુભાઈ પરમાર 

૫)પ્રફુલ પાનસેરીયા

૬)કુવરજી હળપતિ

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ

=આઝાદી કા  અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરાયું

=કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરી હતી 


અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ સ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં રંગમંચ ના કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરી હતી જેમાં સ્કૂલ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા



કમિશ્નર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવુતિ ઓ ની કચરી ગાંધીનગર અને ભરૂચ જિલ્લા રમત ગમત અધિકારી ની કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ ના આયોજન ના ભાગ રૂપે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ના પટાંગણ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમ માં એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ની વિદ્યાર્થીનીઓ અને જીનવાલા સ્કૂલ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રંગમંચ ના કલાકારો એ વિવિધ કૃતિઓ રજુ કરી હતી ,આ કાર્યક્રમ માં  નગર શિક્ષણ સમિતિ ના ચેરમેન કિંજલબેન ચૌહાણ સહીત શાળા ના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પરથી સતત પાંચમી ટર્મમાં ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ નો ભવ્ય વિજય

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પરથી સતત પાંચમી ટર્મમાં ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ નો ભવ્ય વિજય 


-- ઈશ્વરસિંહ પટેલે ૪૦ હજાર કરતા વધુ મત મેળવીને મોટા ભાઈ વિજય ને પરાજય આપ્યો 



અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે સતત પાંચમી ટર્મમાં પોતાની જીતને યાથવત રાખી છે.કોંગ્રેસનાં ઉમેદવાર વિજયસિંહ પટેલે કારમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલનો ૪૦ હજાર કરતા વધુ મતોથી ભવ્ય વિજય થયો છે.કોંગ્રેસ દ્વારા ભાજપને મજબૂત ટક્કર આપવા માટે ઈશ્વરસિંહ પટેલ ના મોટા ભાઈ વિજયસિંહ પટેલ ને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા,જોકે આ ફેક્ટર પણ કોંગ્રેસ માટે બૂમરેંગ સાબિત થયુ હતુ.

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર ૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.ભાજપનાં ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે  ૪૦ હજાર થી પણ વધુ મતોની સરસાઈ થી સતત પાંચમી ટર્મમાં  ભવ્ય વિજય હાંસલ કર્યો છે.ઈશ્વરસિંહ પટેલના ભવ્ય વિજયને વધાવવા માટે ભાજપના કાર્યકર્તા તેમના સાર્થકો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું,ભાજપના કાર્યકર્તાઓ માં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું.ઈશ્વરસિંહ પટેલે પોતાની જીત બદલ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મતક્ષેત્રના મતદારો તેમજ ભાજપના કાર્યકર્તાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.

વીર નર્મદ યુનિવર્સિટી,સુરત ની મહિલા ક્રિકેટ ટીમમાં ભરૂચ નર્મદા કોલેજની બે વિધાર્થીનીનું સિલેકશન.

વીર નર્મદ યુનિવર્સિટી,સુરત ની મહિલા ક્રિકેટ ટીમમાં ભરૂચ નર્મદા કોલેજની બે વિધાર્થીનીનું સિલેકશન.

સુરત ખાતે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી મહિલા ક્રિકેટ ટીમનું સિલેકશન હાથ ધરાયું હતું જે માટે યુનિવર્સિટીની તમામ કોલેજની સૌથી વધુ વિધાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

સિલેક્ટરો દ્વારા પરફોર્મન્સ અને સ્કીલ ના આધારે 15 સભ્યો ની ટીમ ની પસંદગી કરવામાં આવી હતી..જેમાં ભરુચ ની નર્મદા કોલેજ ની બે વિધાર્થીનીઓ ખુશી મારવાડી તેમજ મિરાલી ભાડજા ની પસંદગી થતાં કોલેજ સહિત ભરુચ ના ક્રિકેટ રસીકો મા ગૌરવ સાથે ખુશીની લહેર પ્રસરી ગઇ છે.

નર્મદા કોલેજના સ્પોર્ટસ ડાયરેકટર કે.એસ.ચૌહાણે આ બન્ને વિધાર્થીનીઓની યુનિવર્સિટી ટીમમા પસંદગી અંગે ખુશી વ્યક્ત કરી તેમને મળેલ આ તકથી તેઓ તેમની રમત રાષ્ટ્રીય સ્તરે દર્શાવી આગળ વધી શકશે તેમ જણાવી નર્મદા કોલેજના આ અગાઉ બે બેડમિન્ટન તેમજ વેઇટ લીક્ટિંગમા પણ આંતર રષ્ટ્રિય કક્ષાએ ઝળક્યા હોવાનું કહ્યું હતું.વિકેટકીપર અને બેટર એવી રાજ્ય કક્ષાની ખેલાડી ખુશી મારવાડી તેમજ મિરાલી ભરડાએ તેમની પસંદગી બદલ ખુશી વ્યક્ત કરી કોલેજ અને સ્પોર્ટસ ડાયરેકટર કે. એસ.ચૌહાણ નો આભાર વ્યક્ત કરી ભવિષ્યમા ક્રિકેટમા આગળ કેરિયર બનાવવાની મહેચ્છા વ્યક્ત કરી હતી

અંકલેશ્વર ઓએનજીસી ખાતે મહાપરિનિર્વાણ દિવસ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડર ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પી

અંકલેશ્વર ઓએનજીસી ખાતે  મહાપરિનિર્વાણ દિવસ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડર ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પી


=ઓએનજીસી ના એસેટ મેનેજર વિજય કુમાર ગોખલે સહીત ના અધિકારીઓ પુષ્પાંજલી અર્પી .

=તેલવા ગામ ખાતે 70 મહિલાઓ ને વિના મુલ્યે સિલાઈ મશીન અર્પણ કરાયા


દર વર્ષે 6 ડિસેમ્બરના દિવસે ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે તેમની પુણ્યતિથિ પર મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે.  છે.ત્યારે અંકલેશ્વર ઓએનજીસી ખાતે મહાપરિનિર્વાણ દિવસ અંતર્ગત ડોક્ટર બાબા સાહેબ આંબેડર ની પ્રતિમા ને પૂષ્પાંજલિ અર્પી હતી બાદ ઓએનજીસી ના સીએસઆર ફંડ માંથી અંકલેશ્વર તાલુકા ના તેલવા ગામ ખાતે 70 જેટલી મહિલાઓ ને સિલાઈ મશીન નું વિતરણ કરવામાં આવ્યું હતું


અંકલેશ્વર ઓએનજીસી ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ની પુણ્યતિથિ પર મહાપરિનિર્વાણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ઓએનજીસી ના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે ,એચ આર હેડ દિવાકર બહેરા સહીત ના અધિકારીઓ અને કર્મચારીઓ એ ડો. બાબા સાહેબ આંબેડર ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પી હતી મહાપરિનિર્વાણ  દિન નિમિતે ઓએનજીસી  ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસીએશન તેમજ ઓએનજીસી ઓબીસી એમઓબીસી અને દેવ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકા ના તેલવા ગામ ખાતે મહિલાઓ ને વિના મુલ્યે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેલવા સહીત આસપાસ ના ગામો ની 70 જેટલી  મહિલાઓ ને  એસેટ મેનેજર વિજય કુમાર ગોખલે ના હસ્તે સિલાઈ મશીન નું વિતરણ કરવામાં આવ્યું હતું ,આ પ્રસંગે ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસીએશન ના પ્રમુખ રોહિત પટેલ ,દિનેશ વસાવા ,સીએસઆર હેડ રૂપાંકર મહંતા સહીત ના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper