અંકલેશ્વર પાલિકા દ્વારા સરદાર પટેલ જયંતી નિમિત્તે રન ફોર યુનિટી યોજાઈ

મોરબી ઝુલતા પુલ હોનારત ના મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા બાદ શારદા ભવન થી જવાહર બાગ સુધી રન ફોર યુનિટીમા લોકો જોડાયા  




સરદાર પટેલ જયંતિ નિમિત્તે દેશના લોહપુરુષ ને નમન કરવા અંકલેશ્વર પાલિકા દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને લોખંડી પુરુષ સરદાર પટેલ ના એકતા ના સંદેશ ને પહોંચાડવાના ના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ રન ફોર યુનિટી નો પ્રારંભ જીનવાલા કમ્પાઉન્ડ ખાતે માં શારદા ભવન ટાઉન હોલ થી કરવામાં આવ્યો હતો. જ્યાં સૌ પ્રથમ ગત રોજ બનેલ મોરબી ઝુલતા પુલ હોનારત માં મૃત્યુ પામેલા સ્વજનો ને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ ઇજાગ્રસ્તો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. બે મિનિટ મૌન પાડી પાલિકા પ્રમુખ વિનય વસાવા અને ઉપ પ્રમુખ કલ્પનાબેન મેરાઈ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી રન ફોર યુનિટી માં જોડાનાર નગરજનો ને પ્રસ્થાન કરાવ્યું હતું. જે યાત્રા શારદા ભવન થી નીકળી જવાહરબાગ ખાતે પહોંચી પૂર્ણ થઇ હતી

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper