અંકલેશ્વર માં જલારામ બાપા ની 223 મી જન્મજયંતિ ની શ્રધ્ધાભેર ઉજવણી
- અંકલેશ્વર ગોલા વાવ જલારામ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના અને મહાપ્રસાદી નું આયોજન કરાયું
- હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન નો લ્હાવો લીધો
અંકલેશ્વર ના ભરૂચીનાકા પાસે ગોલા વાવ સ્થિત જલારામ મંદિર ખાતે જલારામ બાપા ની 223 મી જન્મજયંતિ ની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના અને મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું .ત્યારે હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન નો લ્હાવો લીધો હતો
કોરોના કાળ ના 2 વર્ષ બાદ જલારામ બાપા ની223 મી જન્મ જયંતિ ની દબદબાભેર ઉજવણી થઇ રહી છે ત્યારે અંકલેશ્વર ના ભરૂચીનાકા પાસે આવેલ ગોલા વાવ જલારામ બાપા મંદિર ખાતે જલારામ બાપા ની જન્મ જયંતિ ની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી સવાર થી જ જલારામ બાપા ના દર્શન અર્થે ભક્તો ની ભીડ ઉમટી હતી.બાપા ની આરતી, ત્યારબાદ મંદિર ના પટાંગણ માં હોમ હવન, તેમજ રાણા સમાજ ના મહિલા મંડળ દ્વારા ભજન કીર્તન ની રમઝટ બોલાવી હતી. તો જલારામ બાપા ની પ્રસાદી રૂપે મહાપ્રસાદી નું પણ આયોજન કરવામાં આવતા . જેનો મોટી સંખ્યામાં ભક્તો એ લ્હાવો લીધો હતો..
#bhrigubharatsamachar



