32 મી સાધારણ સભા માં સર્વાનુમતે કામો મંજુર કરવામાં આવ્યા
હાંસોટ તાલુકા ના પંડવાઈ પાસેની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ની 32 મી સાધારણ સભા યોજાય હતી અંકલેશ્વર ના ધારાસભ્ય અને પંડવાઈ સુગર ના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ વાર્ષિક સાધારણ સભા માં સર્વાનુમતે કામો ને મંજૂરી આપવામાં આવી હતી ,
અંકલેશ્વર, હાંસોટ, વાલીયા, આેલપાડ, માંગરોળ અને માંડવી તાલુકાના ખેડૂત ની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉધોગ મંડળી લી.,પંડવાઈની 32 મી વાર્ષિક સાધારણ સભા સુગર ના પટાંગણ ખાતે સંસ્થા ના ચેરમેન અને અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ નાં અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.. શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી., પંડવાઇ ની 32 મી વાર્ષિક સાધારણ સભામાં સંસ્થામાં વ્યવસ્થાપક સમિતિએ મંજૂર કરેલા સને 2021-2022 ના વર્ષની કામગીરી ને આવરી લેતો અહેવાલ અને હિસાબ આપી મંજૂરી અર્થે રજૂ કર્યા હતા. જે તમામ ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સને 2021-22 ની પિલાણ સીઝનમાં સુગરે કુલ 204 દિવસમાં 7.લાખ 54. હજાર 351 મેટ્રિક . ટન શેરડીનું પિલાણ કરી 9.63 ટકા રિકવરી મેળવી 7.લાખ 26. હજાર 400 ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન મેળવ્યું છે. ચાલુ પિલાણ સીઝન 2022-23 માટે સંસ્થાએ 12127 એકર રોપાણ અને 12997 એકર લામ મળી કુલ કુલ 24124 એકર શેરડીના પાકમાં પીલાણ કરવાનું આયોજન કર્યું છે. દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ઇથેનોલ બેન્ડીગ પ્રોગામ સફળ થતા વિદેશી હુંડીયામણ બચે તેમજ ખાંડ ઉદ્યોગની સાથે સાથે ખેડૂત મિત્રો ને પણ આર્થિક રીતે ફાયદો થાય તે માટે પેટ્રોલ માં 10 % ઇથેનોલ મિક્ષ કરવા નો ઇથેનોલ બેન્ડીગ પ્રોગ્રામ ચાલે જે અંગે નિર્ણય લીધો હતો. જેને લઇ ગત પીલાણ સીઝન 2021-22 દરમિયાન આપણા દેશ માં સૌપ્રથમ પેટ્રોલ માં 10 % ઇથેનોલ મિક્સ કરવાનું લક્ષ્ય પૂરું કર્યા છે. . ગત પીલાણ સીઝન માં ફેબ્રુઆરી 2022 ના છેલ્લા અઠવાડિયા થી બી.હેવી મોલાસીસ માંથી ઇથેનોલ ઉત્પાદન કરી ઓઇલ સપ્લાય કરેલ છે. બી. હેવી મોલાસીસ માંથી. 41.90.297 લીટર રેક્ટીફાઇડ સ્પીરીટ નું ઉત્પાદન કરેલ હોવાની ખાંડ ની રિકવરી માં થોડો ઘટાડો થયો છે. ડિસ્ટીલરી યુનિટ માં નવો 60 કે.એમ.પી.ડી ક્ષમતા ધરાવતો ઇથેનોલ પ્લાન્ટ પણ ગત ફેબ્રુઆરી 2022 થી કાર્યરત થઇ ગયો છે. જેને લઇ 90 હજાર લીટર પ્રતિ દિવસ રેક્ટીફાઇડ સ્પીરીટ મા ઇથેનોલ ઉત્પાદન કરી શકાશે સંસ્થા ના કોમર્શિયલ મેનેજર મુકેશ પટેલ આજની સભામાં એજન્ડાના કામો હાથ પર લીધો હતો જેને સભાસદ મિત્રો સર્વાનુમતે મંજૂર કર્યા હતાં. આ સાધારણ સભા માં સંસ્થાનાં વાઇસ ચેરમેન અને અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદભાઈ પટેલ , સાયણ સુગર ના વાઇસ ચેરમેન મનુભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલ, સંસ્થા ના વ્યવસ્થાપક મંડળ ના સભ્યો અન્ય સુગર ફેકટરીના ડિરેકટરને, પૂર્વ ડિરેક્ટર અને, સહકારી આગેવાનો, સભાસદઓ અને સંસ્થાના અધિકારીઓ હાજર રહ્યા હતાં.
#bhrigubharatsamachar




