અમદાવાદ ના ખ્યાતનામ સિનિયર બ્રેસ્ટ કેન્સર સર્જન ડૉ.અનઘા ઝોપે દ્વારા બ્રેસ્ટ કેન્સર અંગે માહિતી અપાય
અકલેશ્વર ની જયાબેન મોદી હોસ્પિટલ માં જે બી મોદી કેન્સર સેન્ટર ખાતે બ્રેસ્ટ કેન્સર પર અવર્નેશ સેમિનાર યોજાયો હતો. બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માસ અંતર્ગત . અમદાવાદ ના ખ્યાતનામ સિનિયર બ્રેસ્ટ કેન્સર સર્જન ડોક્ટર .અનઘાબેન ઝોપે દ્વારા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અંગે ની ચર્ચા કરી હતી.
ઓક્ટોબર માસ એ સ્તન કેન્સર જાગૃતિ અંગે નો મહિનો છે, જે સ્તન કેન્સરની અસર વિશે જાગૃતિ લાવવાનું વાર્ષિક અભિયાન છે. આ ઉમદા હેતુ ને ટેકો આપવા માટે અંકલેશ્વર ના જે બી મોદી કેન્સર સેન્ટર ખાતે , શનિવારના રોજ,અમદાવાદ ના ખ્યાતનામ સિનિયર બ્રેસ્ટ કેન્સર સર્જન ડોક્ટર .અનઘાબેન ઝોપે દ્વારા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અંગે ની ચર્ચા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માં મહિલાઓ ઉપસ્થિત રહી હતી તેઓ ને ડોકટર . અનઘા ઝોપે દ્વારા બ્રેસ્ટ કેન્સરના લક્ષણો, સ્વયં સ્તન તપાસ તેમજ તેના સારવારની પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ માહિતીસભર કાર્યક્રમમાં બ્રેસ્ટ કેન્સરથી સાજા થયેલા દર્દીઓ , અને તેમના સગાસંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓ ને , હવે બ્રેસ્ટ કેન્સરની અત્યાધુનિક સારવાર થકી બ્રેસ્ટ કાઢ્યા વગર પણ કેન્સરને મટાડી શકાય છે અને જો નિયમિતરૂપે ડૉક્ટર દ્વારા ચેક અપ અને મેમોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવે તો બ્રેસ્ટ કેન્સર થતું નિવારી શકાય છે.તેમજ તેના સારવાર ની પધ્ધતિ ઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ સેમિનાર માં બ્રેસ્ટ કેન્સર થી સાજા થયેલ દર્દીઓ એ તેમનો અનુભવ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જે બી મોદી કેન્સર સેન્ટર ના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
#bhrigubharatsamachar


