અંકલેશ્વર નગરપાલિકા ખાતે મોરબી હોનારત માં મૃત્યુ પામેલ મૃતકો ની આત્મા ની શાંતિ માટે પ્રાર્થનાસભા યોજાય
મોરબી માં ઝૂલતા પુલ હોનારત ને લઈ સમગ્ર ગુજરાત ના લોકો માં ભારે દુઃખ જોવા મળી રહ્યું છે ત્યારે આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત અંકલેશ્વર નગર પાલિકા હોલ ખાતે પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી હોનારત માં મૃત્યુ પામેલા મૃતકો ની આત્મા ને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરાઈ હતી જેમાં નગર પાલિકા ના ચીફ ઓફિસર કેશવ કોલડિયા ,નગર પાલિકા ના સભ્યો અને પાલિકા ના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા અને બે મિનિટ નું મૌન પાડી શોક પાળવામાં આવ્યો હતો





