અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે ગડખોલ વિસ્તાર ની સોસાયટીઓ માં જનસભા સંબોધી હતી મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તરપ્રદેશ ની નિશાદ પાર્ટી ના અધ્યક્ષ અને કેન્દ્ર સરકાર માં કેબિનેટ મંત્રી ડો,સંજય નિશાદ ઈશ્વરસિંહ પટેલ ના પ્રચાર અર્થે આવી પહોંચ્યા હતા અને તેઓ એ જનસભાને સંબોધી હતી .
અંકલેશ્વર તાલુકા ના ગડખોલ ગામ વિસ્તાર ની સોનમ સોસાયટી ,રાજપીપલા ચોકડી વિસ્તાર માં આવેલ મીઠા ફેકટરી પાછળ આવેલ સૌસાયટી ઓ માં વિધાનસભા બેઠક ઉપર ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ની વિશાળ જનસભા યોજાય હતી આ સોસાયટી વિસ્તાર માં પરપ્રાંતીય મતદારો વધુ હોવાથી જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુપી ના નિશાદ પાર્ટી ના અધ્યક્ષ અને કેન્દ્ર સરકાર માં કેબિનેટ મંત્રી ડો,સંજય નિશાદ પણ આવી પહોંચ્યા હતા ,અને તેઓ એ જનસભા ને સંબોધી ઈશ્વરસિંહ પટેલ ને જંગી મતો થી જીતાડવા અપીલ કરી હતી




