હાંસોટ ના સુણેવખુર્દ ગામે નવરાત્રી નિમિતે માઁ અંબા ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
=ગામ માં માતાજી નું આગમન થતા સમગ્ર ગામ માઁ આદ્યશક્તિ ની ભક્તિ માં લીન બન્યું
હાંસોટ તાલુકા ના સુણેવખુર્દ ગામ ના નવજાગૃતિ યુવક મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ નિમિતે સુરત થી માઁ આદ્યશક્તિ ની મૂર્તિ નું ગામ માં આગમન થતા ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી .માતાજી નું આગમન થતા સમગ્ર ગામ માઁ આદ્યશક્તિ ની ભક્તિ માં લીન બન્યું હતું.
હાંસોટ ના સુણેવખુર્દ ગામ ના નવજાગૃતિ યુવક મંડળ દર વર્ષે નવલા નોરતા નું ભવ્ય આયોજન કરે છે ત્યારે નવરાત્રી ના આગમન ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુણેવખુર્દ ગામ માં નવરાત્રી મહોત્સવ ની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.અને નવજાગૃતિ યુવક મંડળ દ્વારા સુરત ખાતે થી માઁ આદ્યશક્તિ ની મૂર્તિ ગામ ખાતે લાવતા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ,માતાજી નું ગામ માં આગમન થતા ગ્રામજનો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.અને ગામ માં માતાજી ની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.અને સમગ્ર ગામ માઁ આદ્યશક્તિ ની ભક્તિ માં લીન બન્યું હતું ,આ શોભાયાત્રા મંદિર પાસે ગરબા ચોક ખાતે આવી હતી અને પંડાલ માં માતાજી ને પ્રસ્થાપિત કરી આરતી ઉતારી ગરબે ઘૂમ્યા હતા
.jpg)