શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી., પંડવાઈ, તા. હાંસોટ, જી. ભરૂચ ખાતે ડીસ્ટીલરી યુનિટમાં રેક્ટિફાઈડ સ્પિરિટ અને ઇથેનોલનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. આ સીઝનમાં 1 કરોડ લીટરથી વધુ આલ્કોહોલનું ઉત્પાદન કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે.

શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી., પંડવાઈ, તા. હાંસોટ, જી. ભરૂચ ખાતે ડીસ્ટીલરી યુનિટમાં રેક્ટિફાઈડ સ્પિરિટ અને ઇથેનોલનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. આ સીઝનમાં 1 કરોડ લીટરથી વધુ આલ્કોહોલનું ઉત્પાદન કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે.




આપણા દેશના લોકલાડીલા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષ 2014થી પેટ્રોલમાં 10% ઇથેનોલ મીક્ષ કરવાનો ઇથનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ સફળ થાય તે માટે મહત્વનાં અનેકવિધ નિર્ણયો લઇ ખાંડ ઉદ્યોગને નવી દિશા ચીંધી ખાંડ ઉદ્યોગ, ખેડૂતમિત્રો અને વિદેશી હૂંડીયામણની બચત કરાવી આપણા દેશને ખૂબ જ મોટો આર્થિક લાભ અપાવેલ છે. તેમના સતત માર્ગદર્શન અને પ્રયત્નો થકી આપણા દેશમાં સૌ પ્રથમવાર ગત સીઝનમાં પેટ્રોલમાં 10%થી વધુ ઇથેનોલ મીક્ષ કરવાનો લક્ષ્ય હાંસલ કરેલ છે અને વર્ષ 2025 સુધીમાં 20% ઇથેનોલ મીક્ષ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરેલ છે. આ વર્ષે પણ ગત વર્ષના ભાવમાં વધારો કરી ઓઇલ કંપનીને સી-હેવી મોલાસીસમાંથી ઇથેનોલ બનાવી સપ્લાય કરે તો રૂ.49.41 પ્રતિ લીટર, બી-હેવી મોલાસીસમાંથી ઇથેનોલ સપ્લાય કરે તો રૂ.60.73 પ્રતિ લીટર, જ્યુસમાંથી ઇથેનોલ બનાવી સપ્લાય કરે તો રૂ.65.61 પ્રતિ લીટર ઇથેનોલનો ભાવ કેન્દ્ર સરકારશ્રીએ નક્કી કરેલ છે તે બદલ હું ગુજરાતના ખાંડ ઉદ્યોગ વતી આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહ અને સહકારીતા વિભાગના માનનીય મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ અને સમગ્ર કેન્દ્ર સરકારશ્રીને અભિનંદન પાઠવી હાર્દિક આભાર વ્યકત કરૂ છું. : શ્રી ઈશ્વરસિંહ પટેલ.

આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરવાના લક્ષ્ય સાથે આજરોજ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી., પંડવાઈ, તા. હાંસોટ, જી. ભરૂચ ખાતે ડીસ્ટીલરી યુનિટમાં રેક્ટિફાઈડ સ્પિરિટ અને ઇથેનોલનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. આ સીઝનમાં 1 કરોડ લીટરથી વધુ આલ્કોહોલનું ઉત્પાદન કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે.ગત સીઝનમાં પંડવાઈ સુગર દ્વારા કુલ 67,63,446 લીટર ઇથનોલ ઓઇલ કંપનીઓને સપ્લાય કરવામાં આવ્યો હતો.: શ્રી ઈશ્વરસિંહ પટેલ 

આ પ્રંસગે અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને સંસ્થાના વાઈસ ચેરમેનશ્રી અરવિંદભાઈ પટેલ, ગણેશ સુગરની કસ્ટોડિયન કમિટીના સભ્યશ્રી અને અંકલેશ્વર નગરપાલિકાના સભ્યશ્રી નિલેશભાઈ પટેલ, કોમર્શિયલ મેનેજરશ્રી મુકેશભાઈ પટેલ, ડિસ્ટિલરી ઇન્ચાર્જશ્રી દશરથભાઈ પટેલ, ચીફ એન્જીનીયરશ્રી દિલીપભાઈ ચૌધરી, ચીફ કેમિસ્ટશ્રી હિમાંશુભાઈ ટેલર તથા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ હાજર રહ્યા.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

#thepoliticalnewscast #ધીપોલિટિકલન્યુઝકાસ્ટ #ન્યૂઝપેપર #newspaper https://thepoliticalnewscastnewspaper.blogspot.comhttps://www.youtube.com/@TPNGUJARATI

The political Newscast  ધી પોલિટિકલ ન્યૂઝકાસ્ટ nrwspaper Newspaper