અંકલેશ્વર ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિતે બાબા સાહેબ આંબેડર ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પી
=ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે સ્ટેશન ઉપર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કર્યા
=ભાજપ ના કાર્યકરો દ્વારા બાઈક રેલી યોજાય =રામકુંડ પાસે વણકર વાસ ખાતે રેલી નું સમાપન કરાયું
અંકલેશ્વર ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિતે સ્ટેશન પાસે બાબા સાહેબ આંબેડર ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પી હતી ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે પણ બાબા સાહેબ ની પ્રતિમા ને ફુલહાર અર્પણ કરી બાઈક રેલી માં જોડાયા હતા આ વિશાળ બાઈક રેલી શહેર ના મુખ્ય માર્ગ ઉપર થઇ રામકુંડ નજીક વણકર વાસ ખાતે સમાપન થયું હતું બાદ પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના મહામંત્રી દિનેશ રોહિત ના નિવાસ સ્થાને ઈશ્વરસિંહ પટેલે બાબા સાહેબ ની તસ્વીર ઉપર પુષ્પાંજલિ અર્પી હતી
રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિતે અંકલેશ્વર ભાજપ દ્વારા વિધાનસભા ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ સ્ટેશન પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પી હતી ,બાદ શહેર ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિતે બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઈક રેલી માં ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ જોડાયા હતા .અને બાઈક રેલી સ્ટેશન થી નીકળી શહેર ના મુખ્ય માર્ગ ઉપર થી પસાર થઇ રામકુંડ નજીક વણકર વાસ ખાતે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના મહામંત્રી દિનેશ રોહિત ના નિવાસ સ્થાને પહોંચી હતી જ્યાં ઈશ્વરસિંહ પટેલે બાબા સાહેબ ની તસ્વીર ઉપર ફુલહાર કરી રેલી નું સમાપન કર્યું હતું આ પ્રસંગે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના મહામંત્રી દિનેશ રોહિત,તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ ,સુધીર ગુપ્તા .શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહીત ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા


