તાલુકા ના દરેક ગામો માં ઈશ્વરસિંહ પટેલ ને મળતો આવકાર
ઈશ્વરસિંહ પટેલે કરેલા વિકાસ ના કામો નો મતદારો માં જોરદાર પ્રભાવ
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે હાંસોટ તાલુકા માંથી પ્રચાર ના શ્રી ગણેશ કર્યા છે .તેમની સાથે ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા .હાંસોટ તાલુકા ના ગામો માં તેઓ ને ઠેર ઠેર આવકારો મળી રહ્યો છે ,ઈશ્વરસિંહ પટેલે કરેલા વિકાસ ના કામો નો મતદારો માં જોરદાર પ્રભાવ જોવા મળ્યો હતો .દરેક ગામો માં ઈશ્વરસિંહ પટેલ નું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે આજરોજ ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકા માં પ્રચાર ની શરૂઆત કરી છે અંકલેશ્વર ના નવા ધંતુરીયા ,તરીયા ,કાનવા ,સજોદ હરિપુરા ,સક્કરપોર ,જુના પુનગામ ,નાંગલ ,નવા પુનગામ ,બોરીદ્રા આંબોલી ,જુના દિવા ,ગડખોલ સહીત ના ગામો માં પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું આ તમામ ગામો માં તેઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઈશ્વરસિંહ પટેલે પણ અધૂરા રહેલા વિકાસ ના કામો ને પુરા કરવાની ખાત્રી આપી હતી ત્યારે મતદારો એ પણ ઈશ્વરસિંહ પટેલ ને જીત ના આર્શીવાદ પાઠવ્યા હતા





